Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મેડાગાસ્કરમાં આઝાદ દિવસની રેલીમાં નાસભાગથી ૧૬ના મોત

 મેડાગાસ્કર, તા. ૨૭: મેડાગાસ્કરમા આઝાદ દિવસની રેલીમા મચેલી નાસભાગના કારણે ૧૬ લોકોના મોત થયા છે. આ ઘટનામા માર્યા ગયેલા ૧૬ લોકોમા ત્રણ બાળકો પણ સામેલ છે. હાલ આ તમામ મૃતકોને એચજેઆરએ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે. દેશની આઝાદીના અવસરે એક સ્ટેડિયમમા યોજોયેલા કાર્યકમમા નાસભાગ મચતા લોકોના પગ નીચે કચડાયેલા લોકો પૈકી ૧૬ લોકોના મોત થયા છે,

આ બનાવ અંગે માહિતી મળતા ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે ઘવાયેલા લોકોને હોસ્પિટલમા ખસેડવાની વ્યવસ્થા કરાવી હતી. અને હાલ આ બનાવ કેમ બન્યો તે  અંગેના કારણ  જાણવા પોલીસ દ્વારા તપાસ ચલાવવામા આવી રહી છે.જોકે આ બનાવ અંગે હાલ શહેરમા ભારે અફરાતફરી મચી  ગઈ છે  અને આ ઘટનામા જે લોકો માર્યા  ગયા  છે તે તમામના મંતૃદેહ   એચજેઆરએ  હોસ્પિટલના શબગૃહમા રાખવામા આવ્યા છે. આ અંગે હોસ્પિટલના વડા ઓલિવા એલિસન રાકોટોએ પહેલા આ ઘટનામા ૧૫ લોકોના મોત થયાનુ તેમજ ૮૦ લોકો ઘવાયા હોવાનુ જણાવ્યુ હતુ. હાલ આ બનાવ અંગે ભારે અફરાતફરી મચી ગઈ છે.

(3:33 pm IST)