Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોરોનાની બીજી લહેરના કહેરના કારણોસર ઓસ્ટ્રેલિયાએ 15મેં સુધી ભારતની ફ્લાઇટ બંધ કરી

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરના કહેરના પગલે ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારતની બધી ઉડાનો રોકી દીધી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરનો પુરા દેશમાં આતંક યથાવત છે. દેશમાં છેલ્લા 6 દિવસથી રોજના 3 લાખથી વધુ કોરોનાના કેસ બહાર આવી રહ્યા છે. કોરોનાના કહેરને ઘટાડવા દેશના અનેક રાજયોએ પ્રતિબંધો લાદી દીધા છે. આ દરમિયાન ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કાટ મોરીસને આજે મંગળવારે જણાવ્યું હતું કે 15 મે સુધી ભારતની બધી સીધી ઉડાનોને 15 મે સુધી રોકી દેવામાં આવી છે.

(5:16 pm IST)