Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કશ્મીરમાં કોરોનનો આતંક:પાકિસ્તાનથી કોઈ પણ પ્રકારની યાત્રા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી

નવી દિલ્હી:કોરોના પ્રસારને જોઈને ગુલામ કશ્મીરવાળા ગિલગિટ બાલિસ્તાનના સ્થાનિક અધિકારીઓ અને નિવાસીઓએ તે વિસ્તારમાં પાકિસ્તાનથી કોઈ પણ પ્રકારની યાત્રા કરવા માટે સખ્ત પ્રતિબંધ લગાવવાની માંગ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

            મીરપુર ડિવિઝનના આયુકતને લખવામાં આવેલ એક પત્રમાં સ્થાનિક લોકોએ પંજાબ પ્રાંતના ગુજરાત અને જેલમ શહેરોથી કોરોના વાયરસ રોગીઓને ગુલામ કશ્મીરમાં લઇ આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમને જણાવ્યું હતું કે લોકો અહીંયા આવી રહ્યા છે અને તેના કારણોસર ત્યાં પણ કોરોનનો ભય વધી શકે છે એટલા માટે કોઈ પણ જગ્યાએ અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.

(6:15 pm IST)