Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ઇરાકમાં સુરક્ષાબળોના અભિયાનમાં 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: ઈરાકી સુરક્ષાબળ આઇએસએફે બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અનબાર અને સલાદિન પ્રાંતમાં અભિયાન ચલાવીને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સહીત ઓછામાં ઓછા 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

              આઇએસએફના પ્રેસ કાર્યાલયે એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે અનબાર પ્રાંતના ઉત્તરી અને સલાદિન પ્રાંતના પશ્ચિમી વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. આતંક્વાદીઓમાં સાત ઇસ્લામિક સ્ટેટના હોવાનું માલુમ પડી રહ્યું છે

(6:37 pm IST)