Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઇંડોનેશિયામાં પૂર તેમજ ભુસખ્લનના કારણોસર પાંચના મૃત્યુ:10 હજારને વિસ્થાપિત કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈંડોનેશિયાના વેસ્ટ જાવા પ્રાંતના કારાવાંગ જિલ્લામાં પૂર તેમજ ભુસખ્લનના કારણોસર તેમજ વાવાઝોડાના કારણે પાંચ લોકોના મૃત્યુ  નિપજ્યા છે.તેમજ લગભગ 10 હજાર લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક પ્રવક્તાદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પ્રાકૃતિક મુશ્કેલીના કારણોસર ત્રણ શાળાની બિલ્ડીંગો પણ નષ્ટ થઇ ગઈ છે તેમજ એક મસ્જિદ પણ તબાહ થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. પૂરના કારણોસર 47670 નાગરિક તેનાથી પ્રભાવિત થયા છે અને  10 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ જવાની નોબત આવી છે.

(6:26 pm IST)