Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં 100આઈએસ આતંકીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હી:ચીની  મીડિયાએ સ્થાનિક  અધિકારીઓને  માહિતી આપતા  જણાવ્યું છે કે  મંગળવારના  રોજ  અફઘાનિસ્તાનના  નંગરહાર પ્રાંતમાં  લગભગ 100 ઇસ્લામીક સ્ટેટ સાથે જોડાયેલ  આતંકવાદીઓ  દ્વારા આત્મસમર્પણ  કર્યું  હોવાની જાણકારી  પ્રાપ્ત  થઇ રહી છે. વધુમાં મળતી  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે આઇએસના લગભગ  100  આતંકવાદીઓએ  મંગળવારના  રોજ સવારના  સમયે પ્રાંતીય  રાજધાની  જલાલાબાદ  શહેરમાં  નંગરહાર જનરલ ડાયરેકટરેટ  ઓફ ઇંટેલીજેંસના અધિકારીઓની સામે  આત્મસમર્પણ  કરવામાં  આવી રહ્યું  હોવાનું  માલુમ પડી  રહ્યું છે.

 

 

(6:08 pm IST)