Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી દરમ્યાન થયેલ અથડામણમાં 7સૈનિકો મોતને ભેટ્યા

નવી દિલ્હી:પાકિસ્તાને ઉત્તરના અશાંત ખૈબર પખ્તુન્વા વિસ્તારમાં હાથ ધરેલી સૈન્ય કાર્યવાહીમાં અફઘાન સરહદે આવેલા આદિવાસી ક્ષેત્રમાં, સાત પાકિસ્તાની સૈનિક અને નવ આતંકવાદી માર્યાગયા હતા.પાકિસ્તાની સેનાએ એક બયાનમાં કહ્યું હતું કે આ સંઘર્ષ ખૈબર પખ્તુન્વા પ્રાંતના ઉત્તર વઝીરીસ્તાન જિલ્લાના ગરલામાઈ અને સ્પેરા કુનાર વિસ્તારમાં થયો હતો. બયાનમાં કહેવામાં આવ્યું છે કે અફઘાન સરહદે થયેલા આ સંઘર્ષમાં એક અધિકારી સહીત સાત પાકિસ્તાની સૈનિકના મૃત્યુ થયા હતા.નિવેદનમાં સ્પષ્ટતા કરાઈ હતી કે આ આતંકીઓ અફઘાનિસ્તાનમાંથી આવ્યા હતા અને આ વિસ્તારમાં છુપાયા હતા. આતંકવાદ હટાવવાની સેનાની કાર્યવાહી દરમિયાન નવ આતંકીને ઠાર કરાયા હતા તો સમે સાત પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.

(6:21 pm IST)