Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

યુક્રેનના ડેસ્ના ટાઉન પર થયેલ રશિયાના હુમલામાં 87ના મૃત્યુની આશંકા

નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે રશિયાએ કીવથી ૫૫ કિ.મી. દૂર આવેલા ડેસ્ના ટાઉન પર કરેલા હુમલામાં ૮૭ના મોત થયા છે.આ ઉપરાંત યુક્રેનના  અધિકારીએ દાવો કર્યો હતો કે યુદ્ધ શરુ થયુ તે પછી પુતિન પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી ગયા હતા.   બીજી બાજુએ મારિયુપોલમાંથી વધુ ૨૦૦  મૃતદેહો મળી આવ્યા છે.  એક મકાનના બેઝમેન્ટના કાટમાળમાંથી ૨૦૦ મૃતદેહો મળી આવ્યા હતા. હજી પણ જેમ-જેમ કાટમાળ હટશે તેમ-તેમ વધુ મૃતદેહો મળી આવે તેમ મનાય છે.  ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ચર્નિહિવ વિસ્તારમાં આવેલા ડેસ્નામાં કાટમાળ હટાવવામાં આવતા ૮૭ મૃતદેહો મળી આવ્યા હતા. આટલા મોત ફક્ત ચાર જ મિસાઇલ છોડવાના લીધે થયા હતા. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ૨૪ ફેબુ્રઆરીના રોજ યુદ્ધ શરુ થયા પછી રશિયા ૧,૪૭૪ મિસાઇલ હુમલામાં ૨,૨૭૫ મિસાઇલ છોડી ચૂક્યું છે. આ ઉપરાંત મારિયુપોલમાં કાટમાળ હટાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન બીજા ૨૦૦ મૃતદેહો મળી આવ્યા છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જેમ-જેમ કાટમાળ દૂર કરવામાં આવશે તેમ-તેમ હજી વધુ મૃતદેહો મળી આવશે. 

(6:37 pm IST)