Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

લિબિયા: અંધાધૂંધ ગોળીબારીની ઘટનામાં ત્રણ લોકોના મોત: મોટા પ્રમાણમાં લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: લીબિયાની રાજધાની ત્રિપોલીમાં બુધવારના રોજ એક અંધાધૂંધ ગોળીબારીની ઘટનામાં કુલ ત્રણ નાગરિકોના મૃત્યુ થયા છે તેમજ અન્ય ઘણા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સાત ઈજાગ્રસ્ત લોકોને ત્યાંથી કાઢીને તેમની સારવાર શરૂ કરી દીધી હતી.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટીમને ઘટનાસ્થળે કુલ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા ઘટના પહેલા ત્રિપોલીમાં પણ એક દિવસ પહેલા ગોળીબારીની ઘટના બની હતી જેમાં બે બાળકો સહીત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.

(6:27 pm IST)