Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

નેપાળમાં અન્નપૂર્ણા પર્વતમાળા નજીક હિમસ્ખ્લનની ઘટનામાં 150થી વધુ પ્રવાસીઓનો બચાવ: 7 હજુ સુધી લાપતા

નવી દિલ્હી:નેપાળમાં અન્નપૂર્ણા પર્વતમાળા નજીક હિમસ્ખલન થયું હતું. આ ઘટના બાદ 4 દક્ષિણ કોરિયન અને 3 નેપાળી ગાઈડ લાપતા છે. આ વિસ્તાર નજીકથી 150 થી વધુ પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે. આ પ્રવાસીઓ અલગ અલગ દેશના છે. હિમાલયી દેશમાં સતત બરફવર્ષા થઈ રહી છે જેના પગલે ટ્રેકિંગના રસ્તા નજીક હિમસ્ખલન થયું હતું. આ વિસ્તાર અન્નપૂર્ણાના બેઝ કેમ્પની નજીક છે. અન્નપૂર્ણા હિમાલયના સૌથી ઊંચા શિખરોમાંથી એક છે.

(5:39 pm IST)