Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

બે મહિના પહેલાં મૃત્યુ પામેલા બૌધ્ધ સાધુને કબરમાંથી કાઢતાં ચહેરા પર સ્માઇલ જોવા મળ્યું

બેંગ્કોક તા.૨૪ : થાઇલેન્ડનાં બેન્ગકોકમાં લુઆન્ગ ફોર પિઆન નામનાં બૌધ્ધ સાધુ ૯૨ વર્ષની વયે અવસાન પામેલા. આ ઘટના ૨૦૧૭નાં નવેમ્બર મહિનાની છે. એ વખતે વિધિસર સાધુનાં પાર્થિવ દેહને સમાધિની અવસ્થામાં કબરમાં દફનાવવામાં આવ્યો હતો. મૃત્યુનાં ૧૦૦માં દિવસે સાધુનાં દેહને બહાર લાવવાની પરંપરા છે. એ પાળવા માટે આ અઠવાડિયે બૌધ્ધ વિધિ માટે તેમના પાર્થિવ દેહને કોફિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે ત્યારે તેમનું શરીર સડીને ડીકમ્પોઝ થયું નહોતું એટલું જ નહીં, તેમના ચહેરા પર સ્મિત વર્તાતું હતું. વિધિ મુજબ બૌધ્ધ સાધુને ભકતોના ટોળા વચ્ચેથી પરેડ કરીને લઇ જવાયા એ વખતની તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે.

(12:47 pm IST)