Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

નાઈજિરીયાની રાજધાની અબુજામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

નવી દિલ્હી:નાઈજિરિયાની રાજધાની અબુજાના એક બજારમાં ખ્રિસ્તી અને મુસ્લિમોના જૂથ વચ્ચે ભડકેલી હિંસામાં પપ લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ આ હિંસાની જાણકારી આપી હતી. પ્રત્યદર્શીઓએ જણાવ્યું કે હૌસા મુસ્લિમો અને અદારા ખ્રિસ્તી યુવકો વચ્ચે હાથલારી લગાવવાના મુદ્દે ઝઘડો થયો હતો.

નાઈજિરિયાની રાજધાની અબુજાના મુખ્ય બજારમાં હિંસાના કારણે ગત ગુરુવારે પણ બે લોકોનાં મોત થયાં હતાં, પરંતુ એ વખતે પોલીસે સ્થિતિ પર કાબૂ કરી લીધો હતો. બાદમાં અદારા ખ્રિસ્તીઓએ હૌસા મુસ્લિમો પર હુમલો કર્યો હતો અને તેમના ઘર સળગાવી દીધા હતા.રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ ઘટના અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

(5:15 pm IST)