Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

આ ડિઝાઇનના કારણોસર દુર્ઘટનાનો શિકાર થયું હતું બોઇંગ 737

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં ગયા વર્ષે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસમાં એક રિપોર્ટ સામે આવી છે. ઓક્ટોબર 2018માં લાયન એયર વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું તપાસ રિપોર્ટ મુજબ વિમાનની ડિઝાઇનમાં ખામી હોવાનું માલુમ પડી રહ્યું છે.

           તપાસકર્તાઓએ આ ખરાબીને જ દુર્ઘટનાનું કારણ જણાવ્યું છે. આ વિમાન ગયા ઓક્ટોબરમાં દુર્ઘટનાનું શિકાર બન્યું  હતું વિમાનમાં સવાર બધા 189 લોકો મોતને ભેટ્યા હતા આ પછી આ વર્ષે માર્ચમાં પણ બોઇંગનું એક મેક્સ ઈવમાં ઇથોપિયામાં દુર્ઘટનાનું  શિકાર બન્યું હતું અને તેમાં 157 લોકો મોતને ભેટ્યા હતા આ દુર્ઘટના માત્ર ડિઝાઇનમાં ખામી હોવાના કારણે બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:58 pm IST)