Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

હવાઈ હુમલામાં નવ નાગરિકોના મોત: 6 આતંકીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વાયુસેનાની તરફથી કરવામાં આવેલ હવાઈ હુમલામાં તાલિબાનના ગ્રુપ કમાંડર સહીત 6 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં   આવ્યા છે જયારે સરકાર સમર્થક નાટો સેના તેમજ  વાયુ સેનાના હુમલામાં ઓછામાં ઓછા નવ નાગરિકો પણ મોતને ભેટ્યા છે  તેમજ અન્ય 6ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને આજરોજ આ વાતની જાણકારી આપી છે.

(6:34 pm IST)