Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પાર્ટનરને આવી રીતે લાવો નજીક

સંબંધોને તરોતાજા રાખશે આ પાંચ ટિપ્‍સ

નવી દિલ્‍હી, તા.૨૩: એક ઉંમર બાદ બંને પર જવાબદારીઓનો બોજ આવી જાય છે. જેથી તેઓ સાથે સમય નથી વિતાવી શકતા. એવામાં પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો આ સારો સમય છે. તમે હાલ તમારા પાર્ટનર સાથેના ઈમોશનલ સંબંધો મજબૂત કરી શકો છો. કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા માટે લાગણીનું જોડાણ હોવું જરૂરી છે. સંબંધોની શરૂઆતમાં તો કપલ એકબીજાની લાગણીઓનું પુરું ધ્‍યાન રાખે છે. પરંતુ જેમ સમય પસાર થવા લાગે છે ત્‍યારે પ્રેમ અને લાગણી ખતમ થઈ જાય છે. ખાસ કરીને પતિ-પત્‍ની વચ્‍ચે આવું જોવા મળે છે. એક ઉંમર બાદ બંને પર જવાદારીઓનો બોજ આવી જાય છે. જેથી તેઓ સાથે સમય નથી વિતાવી શકતા. એવામાં પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો આ સારો સમય છે. તમે હાલ તમારા પાર્ટનર સાથેના ઈમોશનલ સંબંધો મજબૂત કરી શકો છો. આજે અમે તમને એવા જ પાંચ રસ્‍તાઓ બતાવી રહ્યા છે.

જો તમે તમારા સંબંધોમાં ઈમોશનલ બોન્‍ડને મજબૂત કરવા માંગો છો તો તેના માટે સૌથી સારો રસ્‍તો એ છે કે, જૂની યાદોને ફરી સજીવન કરો. તમે તમારી પહેલી મુલાકાત કે રોમેન્‍ટિક ડેટને યાદ કરો. તમારી વાતોને પાર્ટનર સાથે શેર કરો અને તેમના વખાણ કરો.  યાદોને તાજા કરો અને સંબંધોને પણ.

પતિ-પત્‍નીએ જો એકબીજા સાથે ભાવનાત્‍મક રીતે જોડાવું હશે તો શરમ અને ખચકાટને ખતમ કરવું જરૂરી છે. બંને એકબીજા સાથે દરેક પ્રકારની વાત કરો. અનેક લોકો વિચારે છે કે, બાળકો મોટા થઈ ગયા છે અને હવે રોમેન્‍ટિક થવાનો સમય જતો રહ્યો છે. પરંતુ એવું નથી. ગમે એટલો સમય થાય પરંતુ તમારો પ્રેમ એકબીજા માટે ઓછો ન થવો જોઈએ.

લગ્ન બાદ જીવનમાં અનેક સંબંધો જોડાઈ જાય છે. તમે માતા-પિતા બનો છો. કાકા-કાકી બનો છો. ન જાણે અનેક સંબંધોને નિભાવો છો. એવામાં તમારે કપલ અને પતિ-પત્‍ની તરીકેના તમારા સંબંધો ન ભૂલવા જોઈએ. અન્‍ય સંબંધો અને જવાબદારીઓને તમારા સંબંધ વચ્‍ચે ન આવવા દો. હંમેશા સંબંધને તરોતાજા રાખો. જેથી તેમાં સ્‍પાર્ક જળવાઈ રહે.

આપણે અનેક વાર કોઈ ફિલ્‍મ કે સીરિયલમાં બતાવવામાં આવતી કહાનીઓથી પ્રેરિત થઈએ છે. છોકરી જે હીરોને પસંદ કરે છે એ જ રીતે તેનો પતિ પણ તેની સાથે વાત કરે. આવી જ રીતે છોકરાઓની પણ અનેક ફેન્‍ટસી હોય છે એકબીજાની ફેન્‍ટસીને યાદ રાખવાની અને તેને સાકાર કરવાનું રાખવું જોઈએ.

એક સમય બાદ પતિ-પત્‍નીઓમાં નોંકઝોંક વધી જાય છે. અનેક વાર નાની-નાની વાત પર અણબનાવ થાય છે. પરંતુ તો તમારે તમારા સંબંધોને સજીવન કરવા છે તો સમજદારીથી કામ લેવું જરૂરી છે. પાર્ટનરની ભૂલ હોય તો તેના પર ગુસ્‍સો કરવાના બદલે આરામથી સજાવવાનો પ્રયાસ કરો. આવું કરશો તો બંને આરામથી રહી શકશો અને ઘરમાં રોમાન્‍ટિક માહોલ રહેશે.

(4:47 pm IST)