Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કે પી શર્મા ઓલી 6થી8 એપ્રિલ સુધી ભારતની યાત્રા કરશે

નવી દિલ્હી: નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ભારતની યાત્રા પર જશે તેની સંભાવના જણાઈ રહી છે તેમની યાત્રાને સફળ બનાવવા માટે મંત્રાલયોએ પ્રયાસ શરૂ કરી દીધા છે.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓલી 6થી8 એપ્રિલની વચ્ચે ભારતમાં રહેશે.આ સંબંધે હજુ સુધી કોઈ ઔપચારિક ઘોષણા કરવામાં આવી રહી  નથી.

(7:32 pm IST)