Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પાકિસ્તાનના પંજબમાં માર્ગ અકસ્માતમાં એક પરિવારના 13 લોકો મોતના મોમાં ધકેલાયા

નવી દિલ્હી:પાકિસ્તાનમાં પંજાબમાં બે પેસેન્જર બસ વચ્ચે અકસ્માત થતા ઘટનાસ્થળે ૧૯ લોકો મૃત્યુ પામ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ૧૯ લોકોના મોત અને ૪૦ લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ અકસ્માત રવિવારે રાત્રે ઘાઝી ઘાટ વિસ્તારમાં થયો હતો.

પોલીસે કહ્યું હતું કે દુઃખનીય બાબત તો એ છે કે મૃતક ૧૯ લોકોમાંથી ૧૩ જના એક જ પરિવારના હતા.

ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું નથી.

(5:03 pm IST)