Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રોજ માત્ર ૨૦ મીનીટ સંગીત સાંભળવું જરૂરીઃ અનેક પ્રકારના ફાયદા જોવા મળશે

ટેન્શન દુર થાયઃ દુઃખાવામાં રાહત મળશેઃ સકારાત્મકતા આવશે

નવી દિલ્હી, તા.૨૨: રોજ રાત્રે ઊંઘ ના આવતી હોય તો હળવું સંગીત સાંભળો. નક્કી તમને સારી ઊંઘ આવશે. સંગીત માંસપેશીઓને આરામ આપે છે અને વિચારોની વ્યાકુળતા દૂર કરે છે. તમારો મૂડ ખુશમિજાજ રહે છે અને સમજશકિત વધે છે. ઉપરાંત કોઈ બીમારી હશે તો તે પણ ધીમે-ધીમે ઓછી થઈ જશે. એટલે જ આજકાલ હોસ્પિટલોમાં પણ દર્દીઓને સંગીત સંભળાવવામાં આવે છે. જેથી દર્દી જલ્દી સાજા થઈ શકે.

રોજ લગભગ ૨૦-૩૦ મિનિટ સંગીત સાંભળવાથી એકલવાયાપણું અને તણાવ દૂર થાય છે. ઘડપણમાં પણ તાજગી અનુભવશો. ઉંમરની સાથે મગજ તંદુરસ્ત થશે અને યાદશકિત વધશે કારણકે સંગીત સાંભળવાથી મગજની કસરત થાય છે. સંગીત વ્યકિતમાં જીવવાની ભાવના જાગૃત કરે છે.

સંગીત કાર્ટિસોલના સ્તરને ઘટાડે છે અને તણાવગ્રસ્ત માંસપેશીઓને આરામ આપે છે. જેથી અગાઉની તુલનામાં તમે વધારે આશાવાદી અને સકારાત્મક અનુભવશો. દ્યણા રિસર્ચમાં સામે આવ્યું છે કે મ્યૂઝિક સાંભળવાથી મગજ રિલેકસ મોડમાં જતું રહે છે. કલાસિકલ મ્યૂઝિક સાંભળવું સૌથી વધુ ફાયદાકારક છે. રેગ્યુલર મ્યૂઝિક સાંભળવાથી મગજનું કાર્ય બરાબર ચાલે છે અને ક્રિએટિવિટી વધે છે.

દુખાવો શરીરનો હોય કે મનનો સંગીત બંનેમાં અસરાકરક છે. એક સ્ટડી મુજબ, અસહનીય દુખાવા વખતે દર્દીને સંગીત સંભળાવવામાં આવ્યું તો તેણે દુખાવાની પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું. દુઃખ અને પીડાનો સામનો કરતાં લોકો જલ્દી સંગતીમાં ઓતપ્રોત થઈ જાય છે અને પીડા ભૂલી જાય છે.

સંગીત સાંભળવાથી શરીરમાં ઈમ્યૂનોગ્લોબુલિન ખ્ માં વૃદ્ઘિ થાય છે. આ એન્ટીબોડી શ્લેષ્મ પ્રણાલીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને કોશિકાઓને સ્વસ્થ બનાવે છે. આ રીતે રોગપ્રતિકારક શકિત મજબૂત થાય છે. યાદશકિત પણ તેજ થાય છે.

કશું પણ વાંચતી વખતે જો તમારી પસંદનું સ્લો મ્યૂઝિક સાંભળશો તો વાંચેલું ઝડપથી યાદ રહેશે. સંગીત શીખવાની ગતિ ઝડપી બનાવે છે. સંગીત ડોપામાઈનને વધારે છે જેથી ઝડપથી શીખી શકાય છે. સંગીત મગજની બીમારીઓથી પીડાતા દર્દીઓને પણ સંભળાવવું જોઈએ. સંગીત સાંભળવાથી સ્ટ્રોકનું જોખમ ઘટે છે. સંગીત એકાગ્રતા વધારે છે.

રોજ સવાર-સાંજ થોડી મિનિટો સુધી સંગીત સાંભળવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા ઘટે છે. લાઈટ મ્યૂઝિક સાંભળવાથી સ્ટ્રોકની સમસ્યા દૂર થાય છે. સંગીત હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. સંગીત મગજમાં ક્ષતિગ્રસ્ત ભાગને રિકવર કરે છે.(૨૩.૫)

(9:46 am IST)