Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પાકિસ્તાનમાં સુરક્ષા અભિયાનમાં 5 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી:પાકિસ્તાનના સુરક્ષાબળોએ આતંકવાદી હુમલાના પ્રયત્નોને નષ્ટ કરી દીધો છે અને આત્મઘાતી હુમલાખોર સહીત પાંચ આતંકવાદીને મોતનેઘાટ ઉતાર્યા છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં લડાઈ દરમ્યાન આ પાંચ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. આતંકવાદ વિરોધી પાર્ટીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પેશાવર જિલ્લાના શગાઈ વિસ્તારમાં  સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જયારે જિલ્લાના નજીકના વિસ્તારમાં આતંકવાદી હોવાની સૂચના મળી હતી.

પેશાવરના પોલીસ અભિયાનના વરિષ્ઠ અધિક્ષક ઝુર બાબર આફ્રિદીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પેશાવર જિલ્લાના મારથરા પોલીસ સ્ટેશન વિસ્તારની નજીક શગાઈ વિસ્તારમાં  આતંકવાદી હુમલાને નષ્ટ કરીને પાંચ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(5:43 pm IST)