Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગ્વાટેમાલાઃ જ્વાળામુખી વિસ્ફોટને કારણે ચાર હજાર લોકો સ્થળાંતર કરવા મજબૂર

ફ્યૂજો જ્વાળામુખી ચાલુ વર્ષે પાંચમી વાર ભડક્યો

ગ્વાટેમાલામાં જવાળામુખી વિસ્ફોટને કારણે ચાર હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે ફ્યૂજો જ્વાળામુખી ચાલુ વર્ષે પાંચમી વાર ભડક્યો હતો. જેના કારણે અધિકારીઓએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

  સ્થાનિક લોકોએ મજબૂરીમાં આ સ્થળ ખાલી કરવું પડ્યું છે. લગભગ 4000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્વાળામુખી ફાટ્યા બાદ લાવા, રાખ ફેલાઈ ગઈ હતી પરંતુ બાદમાં સ્થિતિમાં સુધારો થયો હતો. એક અધિકારીએ કહ્યું કે 3 જિલ્લાને ખાલી કરવા અંગે નિર્ણય કરાયો છે.

(11:00 pm IST)