Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દૂધી અત્‍યંત નિરોગી છે, તો પણ આટલુ ધ્‍યાન રાખજો

દૂધી સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દૂધી સરળતાથી બજારમાં મળી રહે છે. દૂધીમાં કેટલાય પ્રકારના ગુણ હોય છે. દૂધી કેટલાય પ્રકારની ગંભીર બીમારીઓની ઔષધી તરીકે પણ કામ કરે છે. પરંતુ, અમુક લોકો માટે દૂધીનું સેવન નુકશાનકારક સાબીત થઈ શકે છે.

* જો કોઈને સાંધાનો દુઃખાવો છે, અથવા તેને નસ સંબંધી કોઈ દર્દ હોય તો તેને દૂધીનું સેવન ન કરવુ જોઈએ. કારણ કે દૂધીના સેવનથી દર્દ વધી શકે છે તેવા સંશોધનો થયા છે.

* જો કોઈ દૂધીના જ્‍યુસનું સેવન કરે છે, તો તે જ્‍યુસમાં અન્‍ય કોઈ વસ્‍તુ બને ત્‍યાં સુધી મિક્‍સ ન કરવી જોઈએ.

* દૂધીનો જ્‍યુસ પીધા પહેલા તેને ચેક કરવો ખૂબ જ જરૂરી છે કે તે કડવો તો નથી ને? જો તે કડવો હોય તો ભૂલથી પણ તેનું સેવન ન કરવુ જોઈએ.

 

(11:30 am IST)