Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મ્યાંમારમાં સૈન્ય વિમાન ક્રેશ થતા 12 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ગુરુવારે મ્યાંનમારમાં સૈન્ય વિમાનના ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં છે. વિમાન દુર્ઘટના માંડલેમાં બની છે. શહેરના ફાયર વિભાગે અંગે માહિતી આપી છે. ઘટનાની માહિતી મળતાં સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માંડલે વિસ્તારમાં પ્યિન લ્વિનમાં એક પાવર અને ઇસ્પાત પ્લાન્ટ વચ્ચે 16 સીટરનું વિમાન ક્રેશ થયું હતું.

એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે ઘટનામાં જમીન પરના અન્ય આઠ લોકો પણ ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર કેટલાક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

(5:46 pm IST)