Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લાહોરથી કરાચી જઈ રહેલ પાકિસ્તાની વિમાન ક્રેશ થતા તમામ મુસાફરોના મૃત્યુની આશંકા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આજે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે અને પ્લેનમાં બેસેલના તમામ પ્રવાસીઓના મોત થયાની આશંકા છે. લાહોરથી કરાંચી જઈ રહેલી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના કરાંચી એરપોર્ટની પાસે બની છે. આ વિમાનમાં 98 જેટલા મુસાફરો સવાર હતા.

             પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સત્તારે આ દુર્ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યુ છે કે, ફ્લાઈટ A-320,90 મુસાફરોને લઈને જઈ રહ્યુ હતુ. વિમાન લાહૌરથી કરાંચી જઈ રહ્યુ હતુ અને માલિરમાં મોડલ કોલોનીની પાસે જિન્ના ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે.

 

(6:28 pm IST)