Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સિંગાપુર માટે ઉડાન ભરવાનું શરૂ કરશે ગોએયર

નવી દિલ્હી: કિફાયતી વિમાન સેવા કંપની ગોએયર બેગલુરૂ અને કોલકાતાથી સિંગાપુર માટે ઉડાન ભરવાનું શરૂ કરશે। એયરલાઇને બુધવારના રોજ જણાવ્યું છે કે 18 ઓક્ટોબરથી બેંગલુરુથી અને 19 ઓક્ટોબરથી કોલક્તાથી સિંગાપુર માટે નોન સ્ટોપ ઉડાન શરૂ કરવામાં આવશે।

               બેંગલુરુથી સિંગાપુરની ઉડાન સોમવાર,બુધવાર,શુક્રવાર અને રવિવારના ઉપલબ્ધ થશે કોલકતાથી સિંગાપુર માટે મંગળવાર,ગુરુવાર અને શનિવારના રોજ રવાના થશે.આ સિવાય 15 ઓક્ટોબરથી ગુવાહાટીથી આઇજોલ માટે દૈનિક નોનસ્ટોપ ઉડાન પણ શરૂ કરવામાં આવશે।

(6:11 pm IST)