Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પાકિસ્તાનમાં ટ્રેન દુર્ઘટનામાં 11ના મોત: 67ને ઇજા

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન શહેરમાં આજ રોજ એક યાત્રીની ટ્રેન અને માલગાડી વચ્ચે જબરદસ્ત ટક્કર થતા દુર્ઘટનામાં 11 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 67ને ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું  છે કે એક યાત્રીની ટ્રેન માલગાડી સાથે અથડાતા અકસ્માત  સર્જાયો છે.જેમાં 11 લોકોને  પોતાનો  જીવ ગુમાવવાની નોબત આવી છે તેમજ અન્ય 67ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:38 pm IST)