Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઇરાનના ચાબહારમાં આત્મઘાતી હુમલો :ત્રણ લોકોના મોત :20 ઘાયલ

ચાબહારમાં ભારત અને ઈરાન સાથે મળી કરે છે પોર્ટનું નિર્માણ :કારમાં થયો વિસ્ફોટ

ઈરાનના ચાબહાર શહેરમાં એક આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચાબહારમાં ભારત અને ઈરાન સાથે મળીને પોર્ટનું નિર્માણકાર્ય કરી રહ્યા છે. માટે ભારત માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઈરાનના ચાબહાર શહેરનું ઘણું મહત્વ છે.

  આંતરરાષ્ટ્રીય ન્યૂઝચેનલના અહેવાલ મુજબ આ વિસ્ફોટ ચાબહાર પોલીસ મુખ્યમથક નજીક થયો છે. આ વિસ્ફોટ એક કારમં થયો હતો. વિસ્ફોટ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ આ એક આત્મઘાતી હુમલો હતો

(8:21 pm IST)