Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઘણીવાર કારણ વિના એકસપરીમેન્ટ કરવાની ભારે કિંમત ચૂકવવી પડે છે

લંબાઇ માપી રહેલા છોકરાના ગુપ્તાંગમાં ફસાઇ ગયો USB કેબલ

નિકાળવા જતાં લોહીની ધારા છૂટી ડોકટર્સને સર્જરીનો સહારો લેવો પડ્યો

લંડન,તા.૨૦:  ઘણીવાર કારણ વિના એકસપરીમેન્ટ કરવાની ભારે કિંમત ચૂકવવી પડે છે. લંડનમાં ૧૫ વર્ષના એક છોકરાએ વિચિત્ર અખતરો કરતાં યૂએસબી કેબલ પોતાના ગુપ્તાંગમાં ફસાવી દીધો. તેણે શરીરમાંથી બહાર કાઢવા માટે ડોકટર્સને સર્જરીનો સહારો લેવો પડ્યો. ડોકટર્સે જણાવ્યું કે બાળક યૂએસબી કેબલ વડે પોતાના ગુપ્તાંગની લંબાઇ માપી રહ્યો હતો.

રિપોર્ટ અનુસાર આ અખતરો બાળક માટે તે સમયે ખતરનાક સાબિત થઇ ગયો જયારે પહેલાંથી જ ગાંઠ લાગેલ કેબલ તેના પ્રાઇવેટ પાર્ટમાં ફસાઇ ગયો. યૂએસબી કેબલના બંને છેડા પ્રાઇવેટ પાર્ટની અંદર જતા રહ્યા. એટલા માટે તેને નિકળવા ખૂબ મુશ્કેલ હતું.

યૂએસબી કેબલ ફસાઇ ગયા બાદ બાળકે તેને નિકાળવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ પરિણામ એ આવ્યું કે તેને પેશાબના માર્ગે લોહી આવવા લાગ્યું. આ જોઇને પરિજનો ગભરાઇ ગયા અને તે તાત્કાલિક તેને લઇને હોસ્પિટલ દોડ્યા. યૂરોલોજી કેસ રિપોર્ટ અનુસાર યૂએસબી કેબલ ગુપ્તાંગમાં એવી રીતે ફસાઇ ગયો હતો કે ડોકટર્સ સ્પેશિયલ ટૂલની મદદ વડે પણ નિકાળી ન શકયા.

બાળકને હાલત લથડતી જોઇ તેને સારવાર માટે તાત્કાલિક યૂનિવર્સિટી કોલેજ હોસ્પિટલ, લંડન ટ્રાંસફર કરવામાં આવ્યો.બાળકે આગ્રહ કર્યો કે તેની માતાની ગેરહાજરીમાં તેનું ઓપરેશન કરવામાં આવે. તેણે ડોકટર્સને જણાવ્યું કે યૌન જિજ્ઞાસાના લીધે પોતાના ગુપ્તાંગને માપવા માટે તેને આમ કર્યું હતું.

એકસ-રે રિપોર્ટમાં યૂએસબી ફ્કત સાઇઝ અને પોઝિશન વિશે ડોકટર્સને જાણવા મળ્યું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સર્જરી માટે મોકલી દીધો. સર્જને ચીરો લગાવીને પહેલાં કેબલની ગાંઠને બહાર કાઢી. ત્યારબાદ યૂએસબીના બાકી ભાગને બહાર કાઢવામાં સફળ થઇ.

સર્જરી દરમિયાન બાળકોને કોઇપણ પ્રકારના કોમ્પ્લીકેશન્સ થયા નથી. રિકવરી બાદ બાળકોને બીજા દિવસે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો. સર્જરી બાદ બે અઠવાડિયા બાદ ફોલો-અપ સ્કેનમાં ડોકટર્સએ જણાવ્યું કે બાળકને કોઇ સ્થાયી નુકસાન થયું નથી. જોકે ભવિષ્યમાં તેને સતતત મોનિટરિંગની જરૂર પડશે.

ડોકટર્સે જણાવ્યું કે આ પ્રકારના ઓબ્જેકટનું ગુપ્તાંગમાં ફસાવવું ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે. તમારા પેશાબમાં અડચણ થઇ શકે છે. ઇફેકટેડ એરિયામાં બળતરા થઇ શકે છે. પેશાબના માર્ગે લોહી નિકળી શકે છે. વ્યકિતને વધુ દર્દની ફરિયાદ થઇ શકે છે. એટલું જ નહી, બ્લેડર એટલે કે પેશાબની નળીમાં પણ સમસ્યા વધી શકે છે. ડોકટર્સએ કહ્યું કે આ સ્થિતિમાં દર્દીઓની સાથે સપોર્ટિવ અથવા નોન જજમેંટલ મૈનર સાથે વર્તવું જોઇએ, જેથી તે આ ઘટના સાથે જોડાયેલી તમામ વસ્તુઓ તમને ખુલીને બતાવી શકે. તેનાથી સર્જનને ઉપયોગ કરવામાં ખૂબ મદદ  મળી શકે છે.

(10:01 am IST)