Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

યમનના હૈધરામઉત પ્રાંતમાં બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચના મોત: અન્ય 20 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: યમનના હૈધરામઉત પ્રાંતમાં એક બોંબ વીસ્ફોટની ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકો મોતને ભેટ્યા છે તેમજ આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. હાઉતી નિયંત્રણવાળી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યં છે કે  ઉતરી વિસ્તારમાં રાજમાર્ગ પર વિસ્ફોટક લગાવવામાં આવ્યો હતો અને બસ તેની સાથે અથડાતા તેમાં વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 20 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ઘાયલ લોકોમાં અમુકની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:03 pm IST)