Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઇમરાન ખાન પર ભડક્યું પાક.ચૂંટણી પંચ

નવી દિલ્હી: ચૂંટણી પ્રચાર દરમિયાન અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા મુદ્દે, પાકિસ્તાન ચૂંટણી પંચે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા 'તહેરિકે ઇન્સાફ' પક્ષના વડા ઇમરાન ખાનને ચેતવણી આપતા કહ્યું છે કે, તેઓ પ્રચાર દરમિયાન યોગ્ય ભાષાપ્રયોગ કરે. ઇમરાનખાને નવાઝ શરીફના ટેકેદારોને 'ગધેડાઓ' કહ્યા હતા. ૧૨ જુલાઈએ પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે પદભ્રષ્ટ કરેલા વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના દીકરી મરિયમ નવાઝ પાકિસ્તાન પરત આવીને સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી પણ નવાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન હતા વળી તેમનો પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (પીએમએલએન) હજી ઘણાં રાજ્યોમાં બહુમતી ધરાવતી હોવાથી સાહજિક રીતે જ તેઓના આગમન સમયે મોટા પ્રમાણમાં પક્ષના કાર્યકરો ઉમટયા હતા તેને ઇમરાનખાને તે ટેકેદારોને 'ગધેડા' કહ્યા હતા.

(5:55 pm IST)