Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

માલીમાં જિહાદી હુમલામાં માલીના જ લગભગ 30 સૈનિકો શહિદ થયા

નવી દિલ્હી:માલીમાં થયેલ એક શંકાસ્પદ જિહાદી હુમલામાં દેશના અંદાજે 30 જેટલા સૈનિકો શહીદ થયા છે તેમજ અન્ય 5ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે  સેનાના એક અધિકારીએ પોતાની ઓળખ છુપાવી રાખવાની વાત પર  જણાવ્યું છે કે આ હુમલો ગાઓના ઉત્તરમાં તરકિંત  સ્થિત એક સૈન્ય શિવિર પર ગુરુવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યો હતો.

માલીના સૈન્ય બળોએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ હુમલામાં મૃતક સૈનિકોની  સંખ્યા વધીને 30એ પહોંચી ગઈ છે આ પહેલા પર તરકિંતમાં આતંકવાદી હુમલો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે

(6:26 pm IST)