Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પાકિસ્તાનમાં કોરોના વાયરસના કારણોસર 3ના મૃત્યુ:452 લોકો સંક્રમિત

નવી દિલ્હી:પાકિસ્તાનમાં કોરોના વાયરસના કારણોસર મ્રુતકઆંક શુક્રવારના રોજ વધીને 3એ પહોંચી ગયો છે તેમજ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 453એ પહોંચી ગઈ છે સિંધ પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી ડો અજરા ફજલે આપેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે આજ રોજ કોરોના વાયરસના કારણે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. આ વાતની સાથે મૃતક આંક વધીને 3એ પહોંચી  ગયો છે.

વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ પણ 453 દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું માલુમ પડી રહ્યું છે અને આ વાતને ધ્યાનમાં રાખતા હાલમાં કોઈ પણ પ્રકારની મુસાફરી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

(6:25 pm IST)