Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જપાનના આ ભાઇ માટીમાં છીછી કરવી જોઇએ એવું માને છે અને બીજાને સમજાવે પણ છે

ટોકીયા,તા.૨૦:જપાનના નાનકડા ઇબરાકી શહેરમાં રહેતા ધંધાદારી ફોટોગ્રાફર મસાના ઇઝાવા ૪૫ વર્ષથી દ્યરના ટોઇલેટમાં છીછી કરવા જતા નથી. ૭૦ વર્ષના ઇઝાવાએ છેલ્લાં ૨૦ વર્ષમાં માંડ ૧૪ વખત ઘરના ટોઇલેટમાં મળવિસર્જન કર્યું હશે. ઇઝાવા શહેરમાં હોય કે ગામડામાં તેમને છીછી તો ખુલ્લા વાતાવરણમાં જ કરવાનું ફાવે છે. પ્લમ્બિંગમાં મળવિસર્જન કરવાને બદલે માટીમાં કરવાની માનવીની જવાબદારી હોવાનું મસાના ઇઝાવાનું માનવું છે. વિસર્જિત મળ નકામો પદાર્થ નહીં હોવાનું ઇઝાવા લોકોને સમજાવે છે.મસાના ઇઝાવાની એ 'ફન્દોશી' ફિલોસોફી છે અને એ પોતાને 'ફન્દોશી' કે 'પૂપ સોઇલ માસ્ટર' તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે આપણે આહાર દ્વારા કુદરત પાસે જીવન મેળવ્યું હોય તો કુદરતને જીવન પાછું આપવું એ આપણી ફરજ અને જવાબદારી છે.

ઘરના ટોઇલેટમાં જ મળવિસર્જન કરવા જેવી અનેક રોજિંદી કામગીરીઓમાં બીબાઢાળ અને એકધારી આદત સમાન રીતો છોડીને કુદરતને સમજીને રીતરસમો અપનાવવાનો અનુરોધ મસાના ઇઝાવા કરે છે.મસાના ઇઝાવા માટીમાં ખાડો કરીને એમાં મળવિસર્જન કરવાની અને એના પર માટી પાથરી દેવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે 'જમીન પર મળવિસર્જન કર્યા બાદ એના પર માટી નાખતી વેળા ધરતી ફરી જીવંત થતી હોય છે. મળ માટી સાથે ભળતાં વૃક્ષો અને છોડવાઓને પોષણ મળે છે.

(3:21 pm IST)