Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

હવામાન બદલાતા ફેલાયછે મલેરિયા, આજે જ ઘરે કરો આ ઉપાય

સતત વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે. કયારેક વરસાદ તો કયારેક ઠંડી તો કયારેક એકદમ ગરમી લોકોને મુશ્કેલી થઇ રહી છે. બદલાતા હવામાનના લીધે લોકોને મોટાભાગે ડેંગ્યૂ, મલેરિયા જેવી બિમારીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ હવામાનમાં સૌથી વધુ મચ્છર ઉત્પદન થાય છે. જો એકવાર કરડી લે તો શરીરને બિમારીઓથી ઘેરી લે છે.

. જો તમે પણ ઇચ્છો છો કે તમારા શરીરને બદલાતા હવામાનથી કોઇપણ પ્રકારની મુશ્કેલીના થાય તે માટે આજે અમે તમારા માટે લાવ્યા છીએ બચવાના ઉપાય.

. ઘરમાં એકત્રિત તાજા પાણીમાં મલેરિયાના મચ્છર પેદા થાય છે. એટલા માટે એ મહત્વપૂર્ણ છે કે તમારા ઘર અને આસપાસના વિસ્તારમાં પાણીને જમા થવા ન દો. મચ્છરનું ચક્ર પુરો થવામાં ૭-૧૨ દિવસ લાગે છે. એટલા માટે જો પાણીને સ્ટોર કરવા કોઇપણ વાસણ અથવા કંટેનરને અઠવાડિયામાં એકવાર સારી રીતે સાફ કરવામાં આવે તો મચ્છરો થવાની કોઇ સંભાવના રહેતી નથી.

. મચ્છર મની પ્લાસ્ટના કુંડામાં અથવા તો ધાબા પર પાણીની ટાંકીઓમાં ઇંડા મુકે છે, જો તેને યોગ્ય રીતે કવર નથી તો ધાબા પર રાખવામાં આવેલા પક્ષીઓના વાસણને દર અઠવાડિયે સારી રીતે સાફ ન કરવામાં આવે તો મચ્છર તેમાં ઇંડા મુકી શકે છે.

. રાત્રે મચ્છરદાની નો ઉપયોગ કરવાથી મલેરિયાથી બચી શકાતું નથી, કારણ કે આ મચ્છર દિવસે કરડે છે. મલેરિયાના મચ્છર અવાજ કરતા નથી, એટલા માટે જો મચ્છર અવાજ ઉત્પન્ન કરે છે, તે બિમારીઓનું કારણ બનતા નથી.

. ફૂલ સ્લીવ્સનો શર્ટ અને ટ્રાઉઝર પહેરવાથી મચ્છરોના કરડવાથી બચી શકાય છે. મચ્છરથી બચવા માટે દરરોજ ક્રીમ લગાવી શકો છો.

(9:47 am IST)