Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ધાનામાં મુશળધાર વરસાદના કારણે 20ના મૃત્યુ: મકાનો અને પાકને ભારે નુકશાન

નવી દિલ્હી: ધાનના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં હાલમાં થયેલ મુશળધાર વરસાદના કારણે 20 લોકોના જીવ ચાલ્યા ગયા છે રાષ્ટ્રીય આપદા પ્રબંધક વિભાગે આપેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે આ ભારે વરસાદના કારણે ઘણા મકાનો ,ખેતરમાં પાક તેમજ અન્ય સંપત્તિઓને ભારે નુકશાન પહોંચ્યું છે.

             સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે આવેલ પૂરમાં 19 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે તેમજ 1225 મકાનો સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:30 pm IST)