Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ISISએ સીરિયામાં 700 નાગરિકોને બંધક બનાવ્યા હોવાનો ખુલાસો

નવી દિલ્હી:રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને એક સમિટમાં આતંકી ગ્રુપ ISIS 700 લોકોનું અપહરણ કર્યુ હોવાનો ખુલાસો કર્યો છે . રશિયાના સોચી સિટીમાં બ્લેક સી રિસોર્ટમાં મળેલી વાલ્ડાઇ ફોરમમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને આ ચોંકાવનારી વિગતો આપી હતી . જે અનુસાર , ઇસ્ટ સીરિયાના રેફ્યૂજી કેમ્પમાંથી આતંકી જૂથ ISIS એ મહિલાઓ અને બાળકો સહિત 700 લોકોને બંધક બનાવ્યા અને આતંકીઓ દરરોજ 10 લોકોની એક પછી એક હત્યા કરી રહ્યાં છે . 

ગત અઠવાડિયે ઇસ્લામિક આતંકવાદી જૂથના આતંકીઓએ ઇસ્ટ સીરિયાના ડેર - અલ ઝોર વિસ્તારમાં  આવેલા  રેફ્યૂજી કેમ્પ પર  હુમલો કર્યો  હતો.

(5:30 pm IST)