Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બોલિવિયામાં ચૂંટણી ગોટાળાના આરોપ સાથે હિંસામાં ૨૩ લોકોનાં મોત : ૭૧૫ લોકો ઘાયલ

વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં નવ લોકોના મોત

 બોલિવિયામાં ચૂંટણી ગોટાળાના આરોપો સાથે થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૨૩ લોકોનાં મોત નીપજયાં છે. જયારે ૭૧૫ લોકો દ્યાયલ થયા છે. અમેરિકન હ્યુમન રાઇટ્સ ઇન્ટર-અમેરિકન કમિશને આ માહિતી આપી. કોચંબાંબામાં વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં નવ લોકોના મોત થયા હતા

  યુનાઇટેડ નેશન્સના હ્યુમન કમિશન ફોર હ્યુમન રાઇટ્સના વડા મિશેલ બાશેલેટએ બોલિવિયા કટોકટી પર ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો અધિકારીઓ આ સંકટને સંવેદનશીલતાપૂર્વક અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ન ઉકેલે તો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર આવી શકે છે.

 વિપક્ષે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ દર્શાવીને પરિણામો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. અમેરિકન સ્ટેટ્સ (ઓએસ) ના અનુસાર ચૂંટણી ભારે ખામીયુકત હતી. ત્યારબાદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇવો મોરાલેસે રાજીનામું આપ્યું અને મેકિસકોમાં આશરો લીધો. ત્યારબાદ સુરક્ષા દળોએ પોતાને વચગાળાના પ્રમુખ જાહેર કરતાં જીનીન એનેઝ સામે વિરોધ કરી રહેલા લોકો પર અશ્રુ ગેસના શેલ ચલાવ્યાં. તેમને કસ્ટડીમાં લીધા હતા.

  શુક્રવારે 'પેજીના ૭' અખબારે અહેવાલ આપ્યો હતો કે વિરોધીઓ બુલેટની ઇજાને કારણે મૃત્યુ પામ્યા હતા. જો કે પોલીસે જણાવ્યું હતું કે તેમણે વિરોધ  પ્રદર્શન કરનારાઓ ઉપર ફાયરિંગ નહોતું કર્યું, પરંતુ તેનો પીછો કરવા માટે માત્ર રસાયણોનો ઉપયોગ કર્યો હતો. વિરોધ  પ્રદર્શન કરનારાઓ પર ગોળીબાર માટે પોલીસે સેનાને દોષી ઠેરવ્યા છે.રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ મોરલેસે મેકિસકોમાં આશરો લીધો હતો.

(3:43 pm IST)