Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુવાલેસી પ્રાંતમાં ભૂસ્ખલન અને ભૂકંપના કારણે 7 લોકોના મોત

ઇન્‍ડોનેશિયા :  ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુવાલેસી પ્રાંતમાં ભૂસ્ખલન અને ભૂકંપના કારણે 7 લોકોના મોત થયા છે જ્યારે 8 હજારથી વધારે લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ પુનર્વસન અને પુનર્નિર્માણ એકમના પ્રમુખ પસમબોઅન પંગલોલીએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, પીડિતોના મોત તેમને સુરક્ષિત બહાર નિકાળતા સમયે થયા.

અધિકારીએ કહ્યું કે, ભૂસ્ખલનના કારણે જિલ્લામાં ઓછામાં ઓછા 8 મકાન ધ્વસ્ત થઇ ગયા. તેમણે કહ્યું, 8 હજારથી વધારે લોકો એ પોતાના ઘર છોડ્યા છે અને તેઓ સુરક્ષિત સ્થાનો પર શરણ લઇ રહ્યા છે. ગત દિવસોમાં 5.1 થી 5.5ની સરેરાશ તીવ્રતાના ભૂકંપના ઘણાં આંચકા આવ્યા છે.

(12:07 pm IST)