Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પેઢાના રોગ હોય ત્યારે તેમેને રૂમેટોઇડ આર્થ્રાઈટિસ થવાનું જોખમ વધુ

લંડન તા. ૧૮ : આમ તો રૂમેટોઇડ આર્થ્રાઈટિસ ઓટો - લ્મ્યુન રોગ છે. એમા  ઙ્ગશરિની જ રોગપ્રતિકારક શકિત પોતાના જ સાંધાને નુકશાન પહોચાડે છે. કયારે અને કયા ફેકટરથી શરીરની રોગપ્રતિકાક ક્ષમતામાં ગરબડ થઇ જાય એ પહેલેથી ભાખી શકાતુ ન હોવાથી સાયન્ટિસ્ટો એવા પરિબળોની શોધમાં છે આવી ગરબડ પેદા કરી શકે છે. બ્રિટનના નિષ્ણાંતોનુ એવુ કહેવુ છે કે જ્યોર પેઢાના રોગ થાય ત્યારે એવી ગરબડ થવાની સંભાવના વધી જાય છે. બ્રિટનની લીડસ ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂમેટિક એન્ડ મસ્કયુલોસ્કેલેટલ મેડિસીનના નિષ્ણાંતોનું કહેવુ છે કે મોંમા જ્યારે પોરોફાયરોમોનસ જિન્જિવાઇટિસ નામના બેકટેરીયા પેદા થાય છે. ત્યારે શરિર એનો સામનો કરવા માટે ખાસ પ્રકારનું પ્રોટિન પેદા કરે છે.  ચોક્કસ બેકટેરિયાના નાથવા માટે બનેલા એન્ટિ - બોડિઝને કારણે માત્ર માણસોમાં જ આ પ્રકારનુ પ્રોટિન પેદા થતુ હોવાનું જોવા મળ્યુ છે. આ પ્રોટિનથી અમુક ચોક્કસ જગ્યાએ સોજો આવે છે. અને ઈમ્યુન - સિસ્ટમમાં  ગરબડ થઇને રૂમેટોઇડ આર્થ્રાઈટિસ થવાની સંભાવનાઓ વધે છે.

(3:27 pm IST)