Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

બ્રાઝિલમાં કોરોના દર્દીઓને લઈને જતું વિમાન રાત્રીના સમયે ક્રેશ થતા ચાર લોકોના મૃત્યુ

નવી દિલ્હી: બ્રાઝિલના સીએરા રાજ્યમાં કોવિડ -19 માં ચેપગ્રસ્ત ચિકિત્સકને લઈને જતું એક નાનું વિમાન શુક્રવારે રાત્રે (15 મે) ક્રેશ થયું હતું, જેમાં સવાર ચારેય લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઓનલાઇન ન્યુઝ સાઇટ જી 1 એ ફાયરમેનને ટાંકીને જણાવ્યું છે.

બીમાર તબીબને તેના વતન રાજ્ય પિયાઉમાં આઇસીયુમાં દાખલ કરાવવામાં માટે લઈ જવામાં આવી રહ્યા હતા. વિમાનમાં પાયલોટની સાથે દર્દીની સારવાર કરતા બે તબીબી કર્મચારી પણ હતા. સીએરા ફાયર વિભાગ અને સાઓ બર્નાર્ડો પાલિકાએ આ અંગે કોઈ માહિતી આપી નથી.

(6:07 pm IST)