Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સીરિયામાં આતંકવાદી હુમલામાં 28 નાગરિકોના મૃત્યુ: 56 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સીરિયાના અલેપ્પો શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચારી રહેલ આતંકવાદી હુમલામાં અત્યારસુધીમાં 28 નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 56ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સીરિયામાં રશિયાના સમન્વય કેન્દ્ર દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

               વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી હુમલામાં 28 નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે. તેમજ અન્ય 56ને ઇજા પહોંચી છે પીંડીઓમાં હાલમાં કોઈ પણ સૈનિક નથી કેન્દ્રએ આપેલ માહિતી મુજબ ઈદલીબ પ્રાંતમાં વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તારમાં આતંકવાદી રોજ રોજ ગોળીબારી કરી હત્યા છે જેમાં ઘણા બધા નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે તેમજ ઘણા બધાને ઇજા પહોંચી છે.

(5:47 pm IST)