Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

આવી રીતે પણ લાવી શકો છો ચહેરા પર નિખાર

તહેવારોની સીઝન ચાલી રહી છે અને આ સમયે એક પછી એક તહેવાર આવવા લાગ્યા છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રી પૂરી થયા બાદ તરત દિવાળીની તૈયારી શરૂ થઈ જશે. ત્યારે ગૃહિણીઓ ઘરની સાફસફાઈ અને સજાવટમાં વ્યસ્ત થઈ જાય છે. ઉપરાંત તે બધાથી અલગ દેખાવા પોતાના સૌંદર્યના નિખાર માટે પણ અગાઉથી તૈયારીઓ કરતી હોય છે. ત્યારે જો તમે પૈસા ખર્ચ કર્યા વગર ઘરે બેઠા ચહેર પર નિખાર લાવવા ઈચ્છો છો, તો આ જરૂર વાંચજો.

એક લીંબુ લઈ, સાંજે સૂતા પહેલા હળવા હાથે ચહેરા પર ઘસો અને ૭-૮ મિનીટ બાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ત્વચા પરની ગંદકી નીકળી જશે.

ત્યારબાદ દહિં અને ચણાના લોટની પેસ્ટ લો. સવારે દહિંમાં ચણાનો લોટ મિકસ કરીને રાખી દો અને સાંજે લીંબુથી ચહેરાને ધોયા બાદ હળવા હાથે આ પેસ્ટને ચહેરા પર લગાવો.

પેસ્ટ લગાવવાની સાથે હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આવુ ૬-૭ વાર કરવુ. તેનાથી તમારા ચહેરા પરના ડાઘ અને કરચલી દૂર થઈ જશે અને તમારા ચહેરા પર નિખાર આવશે.

(9:58 am IST)