Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કાંચનજંઘાની ચઢાઈ દરમ્યાન 2 ભારતીય પર્વતારોહીઓના મોત

નવી દિલ્હી: વિશ્વની સૌથી ઉંચી પર્વત ચોંટી કાંચનજંઘા પર ચઢાઈ દરમ્યાન ઊંચાઈ સંબંધી બીમારીઓની ઝપેટમાં આવી જતા 2 ભારતીય પર્વતારોહીઓના નેપાળમાં મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.વધુમાં મળેલ માહિતી મુજબ એકે સફળતાપૂર્વક ચઢાઈ કરી લીધી હતી. અધિકારીઓદ્વારા મળેલ માહિતી મુજબ બે ભારતીય લોકોની ઉમર એકની 48 અને એકની 46 જણાઈ રહી છે બને બુધવારની રાતે હાઇપોથમિયા અને હિમધતાના શિકાર બની ગયા હતા અને ઉતરતી વેળાએ તેમના મ્ર્ત્યુ નિપજ્યા હોવાની આશંકા જણાઈ રહી છે.

(6:21 pm IST)