Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અફઘાનિસ્તાનમાં 229 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના  નાગરહાર પ્રાંતમાં છેલ્લા 24 કલાકની અંદર ઇસ્લામિક સ્ટેટના 229 આતંકવાદીઓએ તેમજ તેમના પરિજનોએ આત્મસમર્પણ કર્યું છે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે શુક્રવારના રોજ વાતની માહિતી  આપી હતી જેમાં 82 પુરુષો તેમજ 51 મહિલાઓ અને 96 બાળકોએ આત્મસમર્પણ કર્યું છે.

                 મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે અઠવાડિયામાં 542 આઈએસ આતંકવાદી સરકારી સુરક્ષા બળોના સમક્ષ આત્મસમર્પણ કરી ચુક્યા છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયદ્વારા વાતની ઘોષણા કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:40 pm IST)