Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

તો આવી રીતે..કાનના દુઃખાવાને દૂર કરો

કાનના દુઃખાવાને સહન કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તેના પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો જાણો કાનના દુઃખાવાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાય.

 ડુંગળીના રસને સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો ઓછો થઈ જાય છે. ઈન્ફેકશનના કારણે થતા કાનના દુઃખાવાને દૂર કરવા માટે આ કારગર છે.

 સરસોના તેલને થોડુ ગરમ કરી અને અમુક ટીપા કાનમાં નાખી સૂઈ જાવ. થોડીવારમાં જ આરામ મળી જશે. તેના માટે તમે બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

 એપલ સિડર વિનેગર પણ કાનના દુઃખાવાને દૂર કરે છે. તેના થોડા ટીપા કાનમાં નાખવાથી બેકટેરિયા અને વાયરસ નષ્ટ થઈ જાય છે. તમે ઓર્ગેનિક એપલ સિડાર વિનેગરનો ઉપયોગ કરો. કારણ કે તેમાં કેમિકલ્સ હોતા નથી.

 

(12:12 pm IST)