Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મિસ્ત્રમાં એક ચર્ચમાં આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: મિસ્રમાં એક ચર્ચમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 41 લોકોના મોત થયા છે. ઇજિપ્તના કોપ્ટિક ચર્ચનું કહેવું છે કે કૈરોમાં એક ચર્ચમાં આગ ફાટી નીકળ્યા બાદ ઓછામાં ઓછા 41 લોકો માર્યા ગયા છે અને 14 ઘાયલ થયા છે. હતી.ચર્ચે ઈજાગ્રસ્તોની સંખ્યા માટે સ્વાસ્થ્ય અધિકારીઓનો હવાલો આપતા કહ્યું કે આગ ઇમ્બાબાના અબૂ સેફીન ચર્ચમાં લાગી છેઆગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગ રવિવારે સવારે ત્યારે શરૂ થઈ જ્યારે બેઠક ચાલી રહી હતી. આગને કાબૂમાં લેવા માટે 15 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે જ્યારે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. બાદમાં ફાયર અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ કોપ્ટિક ક્રિશ્ચિયન પોપ તાવાડ્રોસ II સાથે ફોન પર વાત કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. અલ-સીસીએ ફેસબુક પર લખ્યું, “હું આ દુ:ખદ દુર્ઘટનાના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યો છું. મેં તમામ સંબંધિત રાજ્ય એજન્સીઓ અને સંસ્થાઓને તમામ જરૂરી પગલાં લેવા અને આ અકસ્માત અને તેની અસરો સાથે તાત્કાલિક વ્યવહાર કરવા નિર્દેશ આપ્યો છે.”

 

(3:01 pm IST)