Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

માલી: ગોળીબારીની ઘટનામાં 9 સૈનિકો સહીત 30 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:એક બંદૂકધારીએ માલીના એક ગામ ઓગોરસગોમાં કરેલ ગોળીબારીની ઘટનામાં 9 સૈનિકો સહીત 30 લોકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી છે. આ ગોળીબારીની ઘટનામાં નવ સૈનિકો શહીદ થયા છે. માલીના ઉત્તરમાં વર્ષ 2012માં ઇસ્લામિક વિદ્રોહના પછી હિંસા અને આગજનીથી તનાવ વધ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

             ગયા વર્ષે વિભિન્ન નસ્લીય સમુદાયો વચ્ચે હિંસાત્મક લડાઈમાં 160 લોકોના મૃત્યુ નિપજ્યા છે. માલીમાં અનેક નસ્લીય જાતિઓ છે જે  અંદરોઅંદર ખૂન કરવામાં ઉલજાયેલ છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

(6:32 pm IST)