Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નાગરવેલનાં પાનના : નુકસાનો

 મુખવાસ તરીકે વપરાતાં નાગરવેલનાં પાન ખૂબ ન પ્રસિદ્ધ છે. મુખવાસ તરીકે તેનો ઘણો ઉપયોગ થાય છે.

 પાનમાં વધારે પડતા સેવનથી કેન્સર થવાનો સંભવ રહે છે. વધારે પાન ખાવાથી લોહિમાં એક પ્રકારનું વિષતત્વ પ્રવેશે છે, જે પાચનક્રિયાને નુકસાન પહોંચાડે છે તેમજકાથાથી ફેફસામાં શુષ્કચા અને આંતરડાંમાં વિકૃતિ આવે છે.

 પાનમાં સોપારી વધુ ખાવાથી આખા શરીરે ખૂજલી થાય છે. પાન ખાનારાઓએ રાત્રે સૂતાં પહેલાં મોં સારી રીતે સાફ કરવું, નહીંતર હાંતોને  નુકસાન થાય છે અને દાંતનાં પેઢાં નબળા થઈને દાંત જલદી પડી જાય છે.

 વૈજ્ઞાનિક મત પ્રમાણે નાગરવેલના  પાનમાં 'ચેવિકોલ' નામનું તત્વ છે. પાનમાં રહેલી તીખાશ તેને લીધે છે.

(9:58 am IST)