Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કીવમાં ફરીથી શરૂ થઇ શકે છે ભારતીય દૂતાવાસ

નવી દિલ્હી: યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન ભારતે કિવમાં તેનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. જો કે, માર્ચમાં દૂતાવાસનું સંચાલન પોલેન્ડના વોર્સોથી કરવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે તેને કિવમાં ફરી શરૂ કરવામાં આવશે. યુક્રેનમાં બંધ ભારતીય દૂતાવાસ ફરી શરૂ થશે. ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાક પર રશિયન આક્રમણથી એમ્બેસી બંધ હતી. ભારતે કિવમાં દૂતાવાસ ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. યુક્રેન-રશિયા યુદ્ધ બાદ રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસે 24 ફેબ્રુઆરીથી કામગીરી બંધ કરી દીધી હતી. મોટાભાગના ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ 13 માર્ચે દૂતાવાસને વોર્સો ખાતે ખસેડવામાં આવ્યો હતો. દૂતાવાસ માર્ચથી વોર્સો, પોલેન્ડમાં કાર્યરત હતું પરંતુ હવે તે ફરીથી કિવથી શરૂ કરવામાં આવશે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ, જે અસ્થાયી રૂપે વોર્સો (પોલેન્ડ) ની બહાર કાર્યરત હતું, તે 17 મે 2022 થી કિવથી તેની કામગીરી ફરી શરૂ કરશે.

 

(6:15 pm IST)