Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પગની એડીઓના દર્દથી હેરાન છો?

લાંબા સમય સુધી ઉભુ રહેવાથી, પગની કસરત કરવાથી, કે હાઈ હિલ પહેરવાના કારણે લોકોએ એડીઓના દર્દનો સામનો કરવો પડે છે. પરંતુ, જરૂરી નથી કે બધા દર્દ માટે તમે દવાનો સહારો લો.

દર્દને દૂર કરવા માટે એક સૌથી સરળ ઉપાય છે તેલ માલીશ. તેના માટે દિવસમાં ૩ વાર નવશેકા નારીયેળ તેલ અથવા સરસોના તેલથી માલીશ કરો. તમને આરામ મળશે. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો હળદરની મદદથી પણ દર્દમાં રાહત મેળવી શકો છો. એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર અને મધ નાખી પીવો.

નવશેકા પાણીમાં બે ચમચી સીંધાલુણ નાખો. તેમાં પગને ૧૫-૨૦ મિનીટ સુધી ડુબાડી રાખો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી પગ ધોઈ લો. તેનાથી દર્દમાં રાહત મળશે.

 

(9:32 am IST)