Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વિશ્વભરમાં વાયુ પ્રદૂષણના કારણોસર દર 13 મિનિટે થાય છે મોત

નવી દિલ્હી: વિશ્વભરમાં વાયૂ પ્રદૂષણથી થનારા મોતને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) ડરામણો રિપોર્ટ જાહેર કર્યો છે. વાસ્તવમાં આ રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણના કારણે વિશ્વમાં દર મિનીટે 13ના મોત થઇ રહ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26)ની આગેવાની હેઠળ શરૃં કરવામાં આવેલી બેઠકમાં WHOએ પોતાનો ખાસ રિપોર્ટ જાહેર કરતાં ચેતવણી પણ આપી છે કે જો આગામી સમયમાં લોકો ચેતશે નહી તો ગંભીર પરિણામો ભોગવવા પડે તેમ છે.

WHOએ ગ્લોબલ વોર્મિગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવા આહવાન કર્યું હતું. આ બેઠક દરમિયાન ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ડો ટેડ્રોસ અધોનામ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે કોરોના રોગચાળાએ મનુષ્યો, જાનવરો અને આપણા પર્યાવરણની વચ્ચે ધનિષ્ઠ અને નાજુક સંબંધો ઉપર પ્રકાશ પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ડબલ્યુએચઓ તમામ દેશો પાસેથી ગ્લોબલ વોર્મિગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે પર નિર્ણાયક કાર્યવાહી કરવા આહવાન કરે છે, તે આપણા હિતમાં છે.

ડબલ્યુએચઓના આ રિપોર્ટને ઓપન લેટર તરીકે લોંચ કરવામાં આવ્યો છે, જેના ઉપર ગ્લોબલ હેલ્થ વર્કફોર્સના બે તૃતિયાંશથી વધારે અધિકારીઓના હસ્તાક્ષર કરાયા છે. આ રિપોર્ટ વિશ્વભરમાં ઓછામાં ઓછું સાડા ચાર કરોડ ડોક્ટરો અને સ્વાસ્થ્ય વ્યવસાયિકોનું પ્રતિનિધિત્વ કરતાં 300 સંગઠનો, રાષ્ટ્રીય નેતાઓ અને 26 દેશોના પ્રતિનિધિમંડળોને વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે પગલાં ભરવાની ભલામણ કરવામાં આવી છે.

 

(6:24 pm IST)